દેવભુમી દ્વારકા જીલ્લામાં ૩ બીનકોવીડ દર્દીના મોત
ર૪ કલાકમાં નવા ૬૬ કોરોના પોઝીટીવ કેસ સામે ૧રર દર્દીઓને રજા અપાઇ
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૪: કોરોના પોઝીટીવ કેસમાં ઉતરોતર ઘટાડો થવાની સાથે સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થતા ગઇકાલે નવા દાખલ સામે ડીસ્ચાર્જ ડબલ થવાનો રેકોર્ડ થયો હતો.
ર૪ કલાકમાં ૬૬ નવા કેસ સામે ૧રર ડિસ્ચાર્જ થયા છે.
નવા કેસોમાં ભાણવડમાં-૩૩, દ્વારકામાં-૧૮, કલ્યાણપુર-૬ તથા ખંભાળીયામા-૯ નવા કેસ નોંધાયા છે.
ગઇકાલે ર૪ કલાકમાં કોરોના બીન કોવીડમાં વધુ ત્રણ વ્યકિતના મોત થતા આંકડો ૮૯નો હતો તે ૯રનો થયો છે.
ગઇકાલે પુર્વ નાયબ મામલતદાર તથા બ્રહ્મસમાજના કાર્યોમાં અગ્રેસર એ.જે.દવે ઉ.વ.૮રનું કોરોના સંક્રમણમાં સારવારમાં મૃત્યુ નીપજયું હતું.
હજુ ત્રણ દિવસ પહેલા જ એ.જે.દવેના ૫૦ વર્ષના પુત્ર કોરોના સંક્રમણમાં સારવારમાં મોત નિપજયું હતું તે પછી ગઇકાલે રાત્રે તેમનું પણ મૃત્યુ થતા બ્રાહ્મણ પરીવાર તથા બ્રહસમાજમાં શોકની લાગણી છવાઇ છે.
રઘુવંશી અગ્રણી વેપારી સ્વ.અમૃતલાલ કરશનદાસ સામાલીના ધર્મપત્નીનું અવસાન
ખંભાળીયાના અગ્રણી વેપારી સ્વ.અમૃતલાલ કરશનવાસ સામાલીના ૅધર્મ પત્ની અમિતાબેન (ઉ.વ.૬૮) તે ગોપાલભાઇ તથા હેમેન્દ્રના માતા તથા કુંજના દાદી તા.૧૩-પ-ર૧ના રોજ અવસાન પામ્યા છે.