જસદણના કમળાપુરમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. બોઘરાએ ૧૦ બેડનું કોવિડ કેર સેન્ટર ખુલ્લુ મુકયું
(ધર્મેશ કલ્યાણી - હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૧૪ : રાજય સરકારના અભિગમ મારું ગામ, કોરોના મુકત ગામના ભાગરૂપે જસદણ તાલુકાની કમળાપુર ગ્રામ પંચાયત અને કમળાપુર પીએચસી સેન્ટર દ્વારા ૧૦ બેડની સુવિધા સાથે પ્રથમ કોવિડ કેર સેન્ટરનો કન્યા શાળા ખાતે શુભારંભ કરાયો હતો. આ કોવિડ કેર સેન્ટરને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, જિલ્લા પંચાયત સભ્ય ખોડાભાઈ દુધરેજીયા, કમળાપુર ગ્રામ પંચાયતના સરપંચ ધીરુભાઈ રામાણી, તલાટી કમ મંત્રી આકાશગીરી ગોસાઈ, ડો.જીતુભાઈ કાછડીયા અને કમળાપુર ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.