સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th May 2019

જુનાગઢ સ્વામીનારાયણ સુવર્ણ મુખ્યમંદિરે યોજાયેલ ચુંટણીમાં આચાર્ય પક્ષ રીપીટઃ ગૃહસ્થ વિભાગમાં નંદલાલભાઇ બામટા સહીત ચારેયને જબરી લીડ :સંત અને પાર્ષદ વિભાગમાં એક એક નવા ચહેરા

જુનાગઢ, તા., ૧૪: જુનાગઢના જવાહર રોડ સ્થિત વડતાલ તાબા હેઠળના શ્રી રાધારમણ ટેેમ્પલ બોર્ડની ચુંટણીમાં આચાર્ય પક્ષે સતા જાળવી રાખી છે.

ગઇકાલે મત ગણતરી સંપન્ન થતા સંત વિભાગની બે બેઠકોમાં સંત વિભાગમાં બે બેઠકોની અપેક્ષા મુજબ દેવપક્ષના ફાળે ગઇ હતી. જયારે પાર્ષદ વિભાગથી ૧ બેઠક તેમજ ગૃહસ્થ વિભાગ આચાર્ય પક્ષના ફાળે ગઇ હતી.

જેમા સંત વિભાગમાં સ્વામી દેવનંદદાસજી ર૪૯ મત તેમજ સ્વામી પ્રેમસ્વરૂપદાસજી (વંથલી) ર૪૮ મત સાથે વિજેતા બન્યા હતા. જયારે પાર્ષદ વિભાગમાં ન્યાલકરણ ભગત ૯૯ મત અને ગૃહસ્થ વિભાગમાં જાદવભાઇ જેરામભાઇ ચાવડા ૯પર૬ મગનભાઇ મનજીભાઇ સભાયા ૯૮૧૯ નંદલાલભાઇ દલસુખભાઇ બામટા ૯૮ર૮ રતીલાલ ભનુભાઇ ભાલોડીયાને જબ્બરદસ્ત લીડ સાથે વિજેતા બન્યા હતા અને ગૃહસ્થ વિભાગમાં ચારેય વિજેતા તેમજ સંત વિભાગ અને પાર્ષદ વિભાગમાં એક એક નવા ચહેરા ચુંટાયા હતા અને રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં આચાર્ય પક્ષ રીપીટ થયો છે.

ઉપરોકત તસ્વીરમાં વિજેતા થયે સંત વિભાગના સંતનું સન્માન કરતા સંતો તેમજ ગૃહસ્થ વિભાગમાં જબરજસ્ત લીડથી ચુંટાયેલ જાદવભાઇ ચાવડા મગનભાઇ સભાયા નંદલાલભાઇ બામટા રતીલાલ ભાલોડીયાનું મીઠુ મોં કરાવી ફુલહાર પહેરાવી સન્માન કરતા રાજગોર યુવક મંડળના મોભી અશોકભાઇ પંડયા શશીકાંત બોરીસાગર પ્રમુખ કમલેશ ભરાડ ભાવેશ બોરીસાગર દિલીપ ભરાડ ચેતન દવે તુષાર મહેતા સુરેશ ભરાડ ચંદુભાઇ તેરૈયા પરેશ ભરાડ યોગેશ મહેતા સહીતના નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:13 pm IST)