માત્ર પ૦ પશુઓની કેપેસીટી ધરાવતી ગૌશાળાને જૂનાગઢ કોર્પોરેશને ૬૦૦ ગાયો આપી દીધીઃ તોરણીયામાંથી પશુઓ વેચી દેવાનું કારસ્તાન
ફોટોઃ junagadh gousada kaubhand
જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના તોરણીયામાં આવેલી ગૌશાળામાં ગૌમાતાના મોત બાદ આ મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી ગૌશાળા સંચાલકો સામે પગલા ભરવામાં ન આવતા ભારે ચર્ચા જાગી છે.
જૂનાગઢની તોરણીયા ગૌશાળામાંથી પશુ વેંચી મારવાનાં કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છતા છેક હવે તંત્ર જાગ્યું છે પરંતુ, ખુબ જ મોડું થઇ ચુક્યું છે.
કેમ કે, ગૌશાળામાં ગાયોને વેંચવાનો અને ગાયોનાં મોતનો સિલસિલો હજુ પણ યથાવત જ છે. તોરણીયાની ગૌશાળામાં હજુ પણ વધારે 9 ગાયોનાં મોત થયા છે અને ગૌશાળાનો સંચાલક ધીરૂ સાવલીયા પણ ફરાર થઇ ચુક્યો છે.
જૂનાગઢ મહાનગરપાલિકા તંત્રએ જાગીને હવે છેક વેટરનરી ડોક્ટર રાહુલ વાણીયાને પણ શો-કોઝ નોટિસ ફટકારી છે.. આ સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને 3 જ દિવસોમાં તમામ બાબતોનો ખુલાસો કરવા માટે નોટિસ આપી દિધી છે.
પરંતુ, હજુ પણ સમગ્ર મામલે પોલીસઅને મહાનગરપાલિકાનું મૌન ખુબ જ ભેદી વર્તાઇ રહ્યું છે.. કેમ કે, માત્ર 50 પશુઓની કેપેસિટી ધરાવતી ગૌશાળાને જૂનાગઢ મહાનગરપાલિકાએ શું વિચારીને અધધ 600 જેટલી ગાયો આપી દિધી હતી.