News of Wednesday, 14th April 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોના વિસ્ફોટ : વધુ બે દર્દીનું મૃત્યુ : નવા 106 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 39 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 54 કેસ ,જૂનાગઢ તાલુકામાં 5 કેસ, કેશોદમાં 11 કેસ, માંગરોળમાં 8 કેસ, માળીયા અને વંથલીમાં 6-6 કેસ ,માણાવદરમાં 5 કેસ, મેંદરડા અને વિસાવદરમાં 4-4 કેસ, ભેસાણમાં 3 કેસ નોંધાયા
જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાના નવા 106 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ બે દર્દીનું મોત થયું છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 39 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 106 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 54 કેસ ,જૂનાગઢ તાલુકામાં 5 કેસ, કેશોદમાં 11 કેસ, માંગરોળમાં 8 કેસ, માળીયા અને વંથલીમાં 6-6 કેસ ,માણાવદરમાં 5 કેસ, મેંદરડા અને વિસાવદરમાં 4-4 કેસ, ભેસાણમાં 3 કેસ નોંધાયા છે
(9:19 pm IST)