સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th April 2021

જૂનાગઢ ગિરનાર તળેટી ભવનાથ મંદિર ૩૦મી સુધી દર્શનાર્થીઓ માટે બંધ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૪ :. શ્રી સ્વયંભુ ભવનાથ મહાદેવ મંદિર હાલમાં ચાલી રહેલ વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પ્રશાસનને સહકાર આપવાના હેતુશ્રી મંદિર પ્રશાસન દ્વારા તા. ૩૦ એપ્રિલ સુધી જાહેર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંદિરની દૈનિક ધાર્મિક પૂજાવિધિ આરતી નિયમ પ્રમાણે પૂજારી શ્રી દ્વારા ચાલુ રહેશે.

(10:08 am IST)