જુનાગઢમાં મિત્રના ઘરમાં મિત્રએ કરી ૩.પ લાખની ચોરી
જુનાગઢઃ જૂનાગઢમાં મિત્રએ મિત્રના ઘરની ચાવીની ઉઠાંતરી કરી, ધોળા દિવસે બંધ મકાનનું તાળુ ખોલી કબાટમાંથી રોકડ અને દાગીનાની રૂ. સાડા ત્રણ લાખનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત પ્રમાણે ગિરાયજીનગરમાં આવેલ મોનાર્ક-૪ માં બ્લોક નં ૮૦ર મો રહેતા વેપારી વિપુલ ચંદ્રકાંત ધરણીધર(ઉ.પ૧) ના પુત્રને નવા નાગરવાડામાં આવેલ દિપગંગા એપાર્ટમેન્ટમાં રહેતા વિનાયક વિજય ઓઝા સાથે મિત્રતા હોય તેથી વિનાયકએ મિત્રના મકાનની ચાવી સેરવી લીધી હતી.
બાદમંા આજે ધોળા દિવસે બ્લોકનું તાળું ખોલી અંદર પ્રવેશી કબાટમાંથી રૂ. ૩ લાખ ૧૦ હજાર રોકડા તથા સોનાની બુટી રૂ. ૪ર૦૦૦ ની ચોરી કરી લઇ ગયાની વિપુલ ચંદ્રકાંતએ 'સી' ડીવીઝનમાં પોલીસ ફરીયાદ નોંધાવતા પીએસઆઇ આર.એમ. ચૌહાણએ વધુ તપાસ હાથ ધરી છે.