ગોંડલમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરતા લોહાણા સમાજ લાલઘુમ
ગોંડલ તા. ૧૪ : ગોંડલ શહેરના ગીતાનગરમાં રહેતાં હિતેશભાઈ નવલભાઈ રાયચુરાએ ગત તા. ૮દ્ગક્ન વ્યાજખોરોના ત્રાસથી ગળાફાસો ખાઇ મોત મીઠું કરી લીધાની ઘટના બાદ લોહાણા સમાજ લાલઘૂમ થયો હતો.
ગોંડલ લોહાણા મહાજન, ગોંડલ લોહાણા વિદ્યાર્થી ભવન, રઘુવંશી સેવા મંડળ, રઘુવંશી ક્રેડિટ કો-ઓપરેટિવ બેન્ક, રઘુવંશી સોશ્યલ ગ્રૂપ, જલારામ યુવક મંડળ તેમજ વીર યુવા ગ્રુપ સહિત સમગ્ર લોહાણા જ્ઞાતિજનો એ એકઠા થાઇ વિશાળ સંખ્યામાં રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને માંગ કરી હતી કે હિતેશભાઈ રાયચુરા ના મોતના જવાબદાર આરોપી બન્ને શખ્સોને કડકમાં કડક સજા થાય અને સમાજમાં ફરી આવા કિસ્સા ના બને તેવી અંતમાં માંગ કરી હતી.
આ આવેદન આપવાના કાર્ય માં પ્રહલાદભાઈ પારેખ કિશોરભાઈ ઉનડકટ, ચિરાગભાઈ સોનપાલ, તેજસભાઈ અઢિયા, વિક્રમભાઈ તન્ના સહિતના આગેવાનો જોડાયા હતા. આવેદન પત્ર ની નકલ મામલતદાર શહેર પોલીસ કલેકટર તેમજ ગાંધીનગર મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવી હતી.