News of Saturday, 14th April 2018
જસદણ-વિંછીયામા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિની ઉજવણી
જસદણઃ જસદણ વિંછીયા પંથકમાં આજે શનિવારે વહેલી સવારથી જ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિને અનુલક્ષી ભારે ધમધમાટ વચ્ચે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં હજારો લોકોએ ડો. બાબાસાહેબ ને ગર્વભેર યાદ કર્યા હતા. બીજી તરફ આજે ડો. બાબાસાહેબની જન્મજયંીતની ઉજવણી દરમિયાન પ્રશાસન દ્વારા પણ સાવચેતીના પગલારૂપે પોલીસતંત્રને ખડેપગે આજે સવારથી જ કરી દેવામાં આવ્યુ હતું. જસદણ આટકોટના પત્રકારો હુસામુદીન કપાસી, હિતેશ ગોંસાઇ, કરશન બામટાએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.(તસ્વીરઃ હુસામુદીન કપાસી)
(11:25 am IST)