અલંગમાં ગેસ ગળતરઃ ૨ મજૂરના મોત
કિનારે લાંગરેલા જહાજમાં ગેસ ગળતર થતા બે મજૂરો ગુંગળાઈ ગયા
ભાવનગરઃ અલંગ જહાજવાડામા ગેસ ગળતરને કારણે બે પરપ્રાંતીય મજુરોના ગુંગળાઈ જતા મોત નિપજયા છે. તસ્વીરમાં મૃતકો નજરે પડે છે (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી દ્વારા-ભાવનગર)
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૪ :. ભાવનગર નજીકના વિશ્વ વિખ્યાત અલંગ જહાજવાડામાં પ્લોટ નં. ૩૨ માં લાંગરેલા જહાજમાં આજે બપોરે ગેસ ગળતરને કારણે જહાજમાં કામ કરી રહેલા બે મજુરોના ગુંગળાઈ જવાથી મોત નિપજયા હોવાનું જાણવા મળેલ છે.
બનાવની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો.
આ દુર્ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બન્ને મજુરોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલે ખસેડાયા હતા.
અલંગના દરિયા કિનારે લાંગરેલા જહાજમાં ગેસ ગળતરની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી.