ગોંડલ ઉપર જળસંકટઃડેમોમાં એક મહિનો ચાલે તેટલો પાણીનો જથ્થો
ધારાસભા તથા પાલિકા પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત : વાછપટી તથા ગોંડલી ડેમમાંથી પાઈપલાઈન દ્વારા વેરી તળાવમાં પાણી ઠલાવવા માંગણી
ગોંડલ, તા.૧૪ : શહેરના જીવાદોરી સમાન વેરી તડાવ આશાપુરા ડેમ તેમજ સેતુબંધ ડેમમાં રહેલ પાણીનો જથ્થો શહેરને માત્ર એક માસ ચાલે તેટલો જ હોય એક માસ બાદ પાણીની વિકટ સમસ્યા થવાના એંધાણ થતા ધારાસભ્ય તેમજ પાલિકાતંત્ર દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકાના પ્રમુખ મનિષાબેન સાવલિયા, ઉપ પ્રમુખ હર્ષદભાઈ વાઘેલા, ચંદુભાઈ ડાભીએ જિલ્લા કલેકટર સિંચાઇ પેટા વિભાગ તેમજ ગાંધીનગર સહિત ઉચ્ચકક્ષાએ પત્ર લખી જણાવ્યું હતું કે શહેરના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં માત્ર એક માસ ચાલે તેટલું જ પાણી છે. એક માસ બાદ પાણીની વિકટ સમસ્યા ઉભી થવાના એંધાણ થયેલ છે તો ગોંડલ શહેરને વાછપરી અને ગોંડલી ડેમમાંથી વેરી તળાવમાં પાણી પહોંચાડવા ની તાકીદની જરૂર છે. તેમજ ઉપરોકત ડેમમાંથી પાઇપલાઇન નાંખવા અથવા રાજકોટ કોર્પોરેશન હસ્તકની ભાદર પાઇપલાઇનમાંથી અને પાણી આપવા માંગ કરવામાં આવી છે.
ગત માસે મળેલી મિટિંગમાં કલેકટર દ્વારા વાછપરી અને ગોંડલી ડેમમાંથી વેરી તળાવમાં પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા દરખાસ્ત તાકીદે તૈયાર કરવા સુચના આપવામાં આવી હતી. જે અનુસંધાને આ કામનું એસ્ટીમેટ રૂપિયા ૧૬ કરોડ જેવું થયું છે. પરંતુ કલેકટર તંત્રના અધિકારીઓ અને પાલિકા કચેરીના અધિકારીઓએ વાછપરી અને ગોંડલી ડેમની સ્થળ મુલાકાત કરતા જો આ બંને ડેમમાંથી નદી વાટે પાણી છોડવામાં આવે તો રસ્તામાં આવતાં બધાં ચેકડેમો તથા નાળાઓ છલકાઇ જતા હોય વેરી તળાવમાં આસાનીથી પાણી પહોંચી શકે તેમ છે, ફકત ૫ ટકા જેટલો જ પાણીનો લોસ થાય તેમ છે, જેથી વેરી તળાવમાં પાણી પહોંચાડવા આ રસ્તો આ રસ્તો દ્યણો આ રસ્તો ઘણો સરળ છે, જયારે પાઇપ લાઈન નાંખવી ખૂબ જ જરૂરી છે જેથી ભવિષ્યમાં ગોંડલમાં પાણીની વિકટ સમસ્યા ન સર્જાય માટે આ અંગે તાકીદે યોગ્ય કરવા અંતમાં જણાવ્યું હતું.