સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th March 2018

સાવરકુંડલા એનએસયુઆઇ દ્વારા છાત્રોને ''કલમ'' અર્પણ

સાવરકુંડલાઃ સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત તેમજ પ્રદેશ એનએસયુઆઇના મહામંત્રી સમીરભાઇ કુરેશીની સુચનાથી અને સાવરકુંડલા સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ ઇરફાનભાઇ કુરેશીની ઉપસ્થિતમાં ધો.૧૦ ના વિદ્યાર્થીઓને અમરેલી જીલ્લા આઇ.ટી.સેલના મંત્રી સાદિક અજમેરી અને જીલ્લા સો.મીડિયા કોડિનેટર મુસ્તાક સરવૈયા એન્ડ ગ્રુપ દ્વારા પરીક્ષાર્થીઓને ''કલમ''ભેટ આપી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં આઇટીેસેલ.અને એન.એસ.યુ.આઇના કાર્યકરો સાદિક અજમેરી (આઇ.ટી.સેલ.મંત્રી અમરેલી જીલ્લાના મુસ્તાક સરવૈયા (એન.એસ.યુ.આઇ સૌ મિડીયા કોડિનેટર અમરેલી જીલ્લા) સુભાષ જાદવ (આઇ.ટી.સેલ.પ્રમુખ સા.કુ.) આકીબ ગૌરી (સા.કુ. એન.એસ.યુ.આઇે શહેર) ફેજલ મકવાણા, પરવેઝ બ્લોચ, સમીર સૈયદ અખતર અનંસારી, આદિલ ચૌહાણ ફયાજ મેમણ, અફરજલ સુમરા, અસ્લમ સૈયદ, મુનીર ચૌહાણ, પ્રતિક જોષી, દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. (તસ્વીરઃઅહેવાલ-ઇકબાલ ગોરી-સાવરકુંડલા)(૬.૪)

(10:53 am IST)