ઉનામાં ફાટેલા હોઠ-તાળવાનો વિનામૂલ્યે નિદાન સારવાર તથા સર્જરી કેમ્પ
ઉના, તા. ૧૪ : સેવાભાવી સંસ્થા શ્રી સદ્વિચાર ટ્રસ્ટ-ઉના તથા મેડલાઇફ ફાઉન્ડેશન અમદાવાદના સંયુકત ઉપક્રમે અ.નિ. પ્રભાવતીબેન મણીલાલ ગાંધીની સ્મૃતિ અર્થે ગાંધી પરિવારનો સહયોગથી ઉનામાં ૧રમી વખતે તા. ૧૮ રવિવારે વેરાવળ રોડ ઉપર આવેલ લોહાણા વિદ્યાર્થી ભવનમાં સવારે ૯થી બોપરના ૧ વાગ્યા સુધી યોજાશે.
અમદાવાદના નિષ્ણાત ડોકટરો પધારી દર્દીઓને તપાસશે અને ફાટેલા હોઠો તાળવાની જન્મજાત ખોડખાંપણ બાળકોને જીભ અચકાતી હોય તેનું મફત નિદાન તથા સારવાર અપાશે. અને ઓપરેશન તેમજ દર્દીઓને વિનામૂલ્યે અમદાવાદ લઇ જઇ વિનામૂલ્યે ઓપરેશન કરી અપાશે. કેમ્પમાં નામ નોંધાવા માટે ડો. ચુડાસમા, તાલુકા હેલ્થ ઓફીસર મંગળદાસભાઇ ગાંધી જીતુભાઇ બી. શાહ તથા ડી.એન. પુરોહીત તથા શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રમાં નામ નોંધાવી લાભ લેવા યાદીમાં જણાવાયું છે.