ધાંગ્રધ્રામાં ડીસીડબલ્યુ કંપની સામે કામદારોની હડતાલ:આત્મવિલોપનની ચીમકીથી દોડધામ
છેલ્લા ૪૦ દિવસથી કેટલાક કામદારોએ હડતાલ શરુ કરી છે
ધાંગ્રધ્રા ડીસીડબલ્યુ કંપની સામે છેલ્લા ૪૦ દિવસથી કેટલાક કામદારોએ હડતાલ શરુ કરી છે. તેઓની મુખ્ય માંગ પોતાને કાયમી કરવા, સિનિયોરીટી મુજબ કંપનીમાં કામ આપવા સહિતની છે. અગાઉ ઉઈઠના કામદારો દ્વારા હડતાલ કરાઇ હતી કામદારોને માંગ લાંબા સમય સુધી સ્વીકારવામાં નહિ આવતા ફરીથી આંદોલનની શસ્ત્ર ઉગામાયુ હતુ.
આ વખતે આંદોલનકર્તા કામદારો દ્વારા પોતાના આંદોલનના "આર-પારની લડાઇ"નુ સુત્ર આપ્યુ છે જેથી કંપનીના સત્તાધીશોને જાણ થઇ ગઇ છે કે હવે કામદારો પોતાની માંગ સ્વિકાયાઁ બાદ જ આંદોલન સમૂટશે જેથી કંપની સામે છાવણી નાખી બેઠેલા અંદાજે ૧૦૦થી પણ વધુ કામદારો દ્વારા છેલ્લા ૪૦ દિવસથી હડતાલ શરુ કરી છે. અત્યાર સુધીમાં અર્ધનગ્ન હાલતમાં સુત્રોચ્ચાર, મુંડન કરાવી વિરુધ્ધ પ્રદર્શન કરાયુ હતુ છતા પણ સત્તાધીશોની આંખ નહિ ખુલતા આંદોલન પર બેઠેલા કામદારો પૈકી ત્રણ કામદારો દ્વારા આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. એક સાથે ત્રણ કામદારોએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવાની જાણ તંત્રને થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ખડે પગે રહ્યો હતો. સ્થાનિક ડી.વાય.એસ.ની, સીપીઆઇ, સીટી તથા તાલુકાના પીઆઇ સહિત તમામ પોલીસકર્મીઓ હાજર રહી આત્મવિલોપન કરતા કામદારોને રોકવા મહેનત હાથ ધરી હતી જોકે આત્મવિલોપનની ચિમકી આપેલ ત્રણ કામદારો પોલીસથી દુર હોવાથી પોલીસે આત્મવિલોપન થાય તે પહેલા આ ત્રણેયને શોધવા પાતાળ અને આકાશ એક કરી નાખ્યુહતું