સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

ઓખા શહેર ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ ઉજવાઇ

 મીઠાપુર : ઓખામંડળ તાલુકાના આરંભડા ખાતે ઓખા શહેર ભાજપ દ્વારા પંડીત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથીની ઉજવણી નિમિતે (ઝુંપડપટ્ટી) વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિ અને પૂજનનો કાર્યક્રમ યોજાયેલ. આ કાર્યક્રમમાં સૌપ્રથમ પંડીત દિનદયાળ ઉપાધ્યાયજીની છબીને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ફૂલહાર કર્યા બાદ નાના બાળકોને બિસ્કીટ અને વેફર અપાયા હતા. આ પ્રસંગે મહિલા મોરચાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : દિવ્યેશ જટાણીયા)

(11:35 am IST)