જસદણના સર્જનાત્મક રચયિતા અલીરાજને મોરારીબાપુની શુભેચ્છા
જસદણ તા.૧૪ : એક કવિ માટે ઇનામ અને ઇલકાબ કરતા લોકોનો પ્રેમ જ મહત્વનો હોય છે પ્રેમ ઇશ્વરની દેન છે આવું ભારપુર્વક માનનારા મૂળ જસદણમાં વસવાટ કરતા અને હાલ સેલવાસ ખાતે રોજગાર સાથે જોડાયેલા સાહસિક કવિ અલીરાજ વણાંક (મો. ૯૦૧૬૪ ૪૫૩૪૪)ની બુક પર તલગાજરડા મુકામે સ્વીકારી પૂ. મોરારીબાપુએ પોતાના હસ્તાક્ષરમાં શુભ સંદેશ પાઠવ્યો હતો.
પુ.બાપુએ જણાવ્યુ હતુ કે આપની રચનાઓ માટે મારી ખુરી વ્યકત કરૂ છુ. કવિ અલીરાજ વણાંકની સંઘર્ષને પ્રેરણા આપતી ઓજસ્વી કવિતાઓને કારણે તેમને અકલ્પનીય લોકપ્રિયતા સાંપડી છે તેને આજે મોરારીબાપુએ બિરદાવતા સોનામાં સુગંધ ભળી હોય એવો ઘાટ સર્જાયો હતો આ અંગે કવિ અલીરાજ વણાંકએ જણાવ્યુ હતુ કે મારા પ્રિય મોરારીબાપુએ મારી રચનાઓ પર જે પ્રેમ વ્યકત કર્યો આ કાંઇ નાની ઘટના થોડી છે સત્ય પ્રેમ કરૂણાનો મહિમા ગાતા મોરારીબાપુ માટે આજે શબ્દો રિસાઇ ગયા છે કે છુપાઇ ગયા છે.