સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th February 2020

દિકરીનો જન્મ થતાં જુનાગઢની પરિણીતાને સાસરીયાનો ત્રાસ

કોર્ટ કેસ પાછો ખેંચી લેવા ધમકી પણ આપી

જુનાગઢ તા. ૧૪: દિકરીનો જન્મ થતાં જુનાગઢના પ્રફુલા ઉર્ફે પૂજાબેન સારીખડા (ઉ.વ.૩૦) ને સાસરીયાએ ત્રાસ ગુજારીને ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

કડિયાવાડનાં વણકરવાસમાં રહેતા પ્રફુલાબેન સારીખડાને દિકરીનો જન્મ થતાં પતિ ચિરાગ રામજીભાઇ સસરા-રામજીભાઇ, સાસુ-મંજુબેન અને નણંદ-શ્રધ્ધા (રે. ધોરાજી) એ મારકુટ કરી ત્રાસ આપી અને દહેજમાં રોકડ, કાર, મોટર સાયકલની માંગણી કરીને ઘરમાંથી કાઢી મુકેલ છે. તેમજ કોર્ટમાં કેસની તારીખે કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી હોવાની ફરિયાદ થતાં પી.આઇ. જે. પી. વરીયાએ તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)