News of Wednesday, 14th February 2018
મહુવા-રાજુલામાં પધારતા દાઉદી વ્હોરા જ્ઞાતિના ધર્મગુરૂ
જસદણ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ય ધર્મગુરૂ ડો.સૈયદના સાહેબ ભાવનગર રાત્રિના પધારતા હજારો વ્હોરા બિરાદરોએ ધન્યતા અનુભવી હતી ભાવનગર એરપોર્ટ પર રાત્રિના ખાસ હવાઇ જ હાજમાં પધારતા અગ્રણીઓએ તેમનું સ્વાગત કરેલ હતુ ત્યારબાદ તેઓ પોલીસ અને સમાજની ખાનગી સીકયુરીટીના જડબે સલાક બંદોબસ્ત વચ્ચે તેઓ કાર માર્ગે નઝમી મસ્જિદએ પહોંચ્યા હતા, ત્યાર દેશ વિદેશના હજારો અનુયાયીઓ તેમના દિદાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ડો. સૈયદના સાહેબ, આજે ભાવનગરથી મહુવા અને રાજુલા મસ્જિદોનું ઉદઘાટન કરશે
(11:23 am IST)