News of Thursday, 14th January 2021
જસદણના ગોખલાણા પાસે જીવલેણ અકસ્માતઃ રાજકોટના યુવાનનું મોતઃ માતાને ઇજા
રાજકોટઃ જસદણના ગોખલાણા પાસે અજાણ્યા વાહને એકટીવાને ઠોકરે લેતાં રાજકોટ પોપટપરામાં રહેતાં કોળી યુવાન ગૌતમ રણછોડભાઇ ધરજીયા (ઉ.વ. ૧૮) અને તેની પાછળ બેઠેલા માતા નીમુબેન રણછોડભાઇ ધરજીયા (ઉ.વ.૪૫)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગૌતમનું મોત નિપજ્યું હતું. બંને મા-દિકરો સગાને ત્યાં જઇ રહ્યા હતાં ત્યારે બનાવ બન્યો હતો.
(8:01 pm IST)