ઉપલેટાનાં નિલાખા ગામમાં સાસરીયાના ત્રાસથી આહિર પરિણીતાનો આપઘાત
(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા.૧૩: ઉપલેટા તાલુકાના નિલાખા ગામ રહેતી આહિર પરિણીતા સરોજબેન સુધિરભાઇ જલુ ઉ.વ.૪૦ વાળીએ પોતાના સાસરીયાના ત્રાસથી નિલાખા ગામે કુવામાં પડીને આપઘાત કરતા આ બનાવ ચર્ચાનો વિષય બનેલ છે.
મૃતક સરોજબેન જખુના ભાઇ સંજયભાઇ વીરાભાઇ વીરડાએ ઉપલેટા પોલિસમાં મરનારના સસરા દેસુર જલુ સાસુ વજીબેન નારણભાઇ જલુ દેર સુમિત નારણ જલુ નણંદ બાળાબેન પ્રવિણ વીરડા અને મામાનું સસરા નકુ ઉર્ફે કાળા હમીર હુંબલ સામે ફરીયાદ નોંધાવી - ઉપરોકત પાંચ સાસરીયાઓએ પોતાની બેનને માર મારી માનસિક શારિરીક ત્રાસ આપી અવાર નવાર ચીજ વસ્તુઓ માંગતા હોવાનું અને આ ત્રાસથી પોતાની બહેને કુવામાં પડીને આપઘાત કર્યો હોવાનુ જણાવતા પોલીસે મરનાર સરોજબેનના દેર સુમિત નારણ જલુની ધરપકડ કરેલ છે બાકીની તપાસ ચાલુ છે.
મૃતક સરોજબેનના ભાઇ સંજયભાઇ વીરડાએ પત્રકારોને જણાવેલ હતુ કે મારી બહેને કુવામાં પડીને આપઘાત કર્યો હોવાની જાણ તેઓના સાસરીયાને હોવા છતા તેઓએ અમોને જાણ કરેલ નહોતી- પાડોશીઓએ અમને ફોન કરીને બનાવની અમોને જાણ કરી ત્યારે અમને ખબર પડી હતી.