સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

જામકંડોરણામાં ઇફકો દ્વારા જયેશભાઇ રાદડીયાના હસ્તે ગરીબ પરિવારોને ધાબળા વિતરણ

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા. ૧૩ : શિયાળાની આ કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારના જરૂરીયાતમંદ લોકોને આ ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી જામકંડોરણામાં ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો.ઓપ. લી. (ઇફકો) દ્વારા જરૂરીયાતમંદ લોકોને કેબિનેટમંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ જીલ્લા દુધ સંઘના પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, ખીમજીભાઇ બગડા, કરણસિંહ જાડેજા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને આ વિતરણ કાર્યમાં જોડાયા હતા.

(12:11 pm IST)