News of Wednesday, 13th January 2021
શનીવારે ગોંડલ વેપારી મહામંડળ (ગ્રેટર ચેમ્બર્સ)ની બેઠક યોજાશે : નવા વર્ષના હોદ્દેદારોની નિમણુંક કરાશે
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૩: ગોંડલ વેપારી મહામંડળ(ગ્રેટર ચેમ્બર્સ) દ્વારા આગામી શનિવાર તા.૧૬ સાંજે પાંચ કલાકે ટાઉનહોલ ખાતે મહત્વની બેઠકનું આયોજન કરાયું છે.માજી ધારાસભ્ય જયરાજસિંહᅠ જાડેજાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠક અંગે વેપારી મહામંડળનાં પ્રમુખ ગોપાલભાઇ ટોળીયા એ જણાવ્યું કે બેઠક માં હોદ્દેદારોની વરણી સાથે વાણિજય વેપાર અંગે ચર્ચા કરાશે.વેપારી આલમᅠ ᅠની સલામતી અને સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરાશે.સાથોસાથ અલગઅલગ વેપારી સંગઠનોને એક છત્ર હેઠળ એકત્રીત કરાશે.શનિવારે યોજાયેલ બેઠકમાં શહેરનાં નાના મોટા વેપારીઓને ઉપસ્થિત રહેવાં ગોપાલભાઇ ટોળીયાની યાદીમાં જણાવાયું છે.
(12:18 pm IST)