News of Wednesday, 13th January 2021
વડિયાના કૃષ્ણપરામાં ઉભરાતી ગટરની સફાઇ કરાવવા માંગણી
વડીયા,તા. ૧૩: વડીયા ગામે ભૂગર્ભ ગટરનો યોગ્ય નિકાલ કરવા ગ્રામ લોકોની રજૂઆત વડીયાના કૃષ્ણપરાની જે ગટર છે તેમાં અતિશય દુર્ગંધ ફેલાય સે અને સાફ-સફાઈ કરવામાં આવતી નથી લોકોની અનેક વખત ગ્રામપંચાયતમાં રજૂઆત કરવા છતાં આ ભૂગર્ભ ગટરની સાફ સફાઈ થતી નથી હાલ કોરોના ચાલી રહ્યો છે અત્યંત દુર્ગંધ ફેલાવે છે આરોગ્ય માટે હાનિકારક છે. સફાઈ કરવામાં નહીં આવે તો માણસોની આરોગ્ય માટે જોખમ કારક હોય કોઈ રોગચાળો ફેલાય અને લોકો તે રોગના ભોગના બને તે માટે વહેલી તકે આ ગટરને યોગ્ય કરવામાં આવે તેવી ગ્રામ લોકોએ વડીયા ગ્રામ પંચાયતમાં સરપંચ ને રજૂઆત કરેલ છે.
(10:40 am IST)