સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

ઉપલેટામાં આર.એસ.એસ દ્વારા સદભાવના બેઠક

 ઉપલેટાઃ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ સમિતિ દ્વારા સામાજિક સદભાવના બેઠકનુ આયોજન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યુ હતુ.જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યના સૌરાષ્ટ્ર ઉપરાંત સંપર્ક પ્રમુખ જીતુભાઈ ભીંડી દ્વારા રામ મંદિરની વિશે જણાવતા ૨.૭ એકરમાં ફેલાયેલા મંદિરનું નિર્માણ કરવાનો છે તેમજ દરેક જ્ઞાતિના લોકોને અનુદાન આપવા માટે આહવાન કરવામા આવ્યુ હતુ દરેક હિન્દુ પરિવારને મળવાનુ આયોજન થયુ આ કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી રામચંદ્રજીના ગીત સાથે કરવામા આવી હતી તેમજ નગર સંયોજક સુનિલભાઈ ધોળકિયા તથા મનસુખભાઈ નારીયા દ્વારા દરેક હિન્દુ પરિવાર જનોએ આ ઇશ્વરીય કાર્યમાં જોડાવા માટે તન મન અને ધનથી આહવાન કરવામા આવ્યુ હતુ. (તસ્વીર-અહેવાલ : ભરત દોશી -ઉપલેટા)

(10:39 am IST)