સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th January 2020

ટંકારામાં સવારે માવઠુ બાદ બપોરે ભૂકંપ જેવા આંચકા અનુભવાયા

રાજકોટ : આ લખાય છે ત્યારે બપોરે ૩:૩૦ વાગ્યે ટંકારામાં ભૂકંપના ઉપરાઉપરી ચાર આંચકા અનુભવાયાનું જાણવા મળે છે. બપોરના સમયે લોકો પોતાના ઘરમાં આરામ કરી રહ્યા હતા ત્યારે ઉપરાઉપરી ચાર ભૂકંપ જેવા આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને થોડીવાર ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે સવારે ટંકારામાં માવઠુ પણ થયુ હતું.

(4:20 pm IST)