News of Thursday, 13th December 2018
જસદણ પંથક ગજાવશે રૂપાલાઃ શનિ-રવિ ૩ સભા
રાજકોટ, તા., ૧૩: ભાજપના તળપદી શૈલીના મશહુર વકતા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી પરસોતમ રૂપાલા જસદણની પેટાચૂંટણી સંદર્ભે જાહેરસભા ગજાવવા આવી રહયા છે.
ભરત બોઘરાના જણાવ્યા મુજબ શ્રી રૂપાલા તા.૧પમીએ રાત્રે ૮ વાગ્યે આટકોટના વિજય ચોકમાં, તા.૧૬મીએ સાંજે ૬ વાગ્યે સાણથલીમાં અને તે જ દિવસે રાત્રે ૮ વાગ્યે જસદણના સરદાર ચોકમાં જાહેર સભા સંબોધશે.(૪.૨)
(11:53 am IST)