જુનાગઢમાં ખેડુતોના પ્રશ્ને પરેશ ધાનાણીની આગેવાનીમાં આવેદન
તસ્વીરમાં પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં આવેદનપત્ર પાઠવાયુ તે નજરે પડે છે (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
જુનાગઢ, તા. ૧૩ : પ્રદેશ કોંગ્રેસે નકકી કરેલ મુદ્દાઓ પાકવીમો,બેરોજગારી,મંદી તથા લીલા દુષ્કાળ ની માંગણી બાબતે વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં કલેકટરશ્રી જુનાગઢ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જેમાં વિસાવદરના ધારાસભ્યશ્રી હર્ષદભાઈ રીબડીયા, માંગરોળ-માળિયાના ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજા,જુનાગઢના ધારાસભ્યશ્રી ભીખાભાઈ જોષી, જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોંકિયા, તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખશ્રીઓ,કોંગ્રેસ પક્ષના વિવિધ સંગઠનના હોદેદારો, ખેડુત આગેવાનો, સોશિયલ મિડિયાના જીલ્લા તાલુકાના હોદેદારો અને બહોળી સંખ્યામાં ખેડુતો,બેરોજગારો ઉપસ્થિત રહીને ઝાંસીના રાણીના પુતળાથી સુત્રોચાર સાથે રેલી સ્વરૂપે નીકળી જુનાગઢ જીલ્લા કલેકટરને ઉગ્ર રજુઆત સાથે આવેદનપત્ર સુપુરત કર્યું હતું.