સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગુન્હા આચરી નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

વઢવાણ, તા. ૧૩ : સુરેન્દ્રનગર જિલ્લામાં મારામારી, પ્રોહીબીશન તેમજ અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપતા પોલીસ દ્વારા કવાયત હાથ ધરેલ છે. જેમાં અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા સુરેન્દ્રનગર જિલ્લાના બે આરોપીને ઝડપી લઇ જેલના હવાલે કર્યા છે.

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતો ફરતો આરોપી શાપર પોલીસ મથક વિસ્તારમાં હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી પોલીસ દ્વારા આરોપી કિશોરભાઇ રામજીભાઇ રાઠોડ મૂળ ભોયકા તા. લીંબડી, જી. સુરેન્દ્રનગર વાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી શાપર(વે.) પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

જયારે બીજો આરોપી ગોંડલ તાલુકાના શિવરાજગઢ દેવડા ગામેથી સગીરવયની યુવતિનું અપહરણ કરી નાસતો ફરતો હતો જે આરોપી જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના જોનપુર ગામની સીમમાં મજૂરી કામ કરી ત્યાં જ રહેતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે આરોપી અરવિંદભાઇ ધીરૂભાઇ મદુરીયા રહે. કસવાળી તા. સાયલા જી. સુરેન્દ્રનગરવાળાને પકડી ગોંડલ તાલુકા પોલીસ મથકે સોંપી આપેલ છે.(૮.

 

(1:04 pm IST)