સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

ખેડુતોના મુદ્દે કોંગ્રેસ દ્વારા જનવેદના આંદોલન

કમોસમી વરસાદ સહિતના પ્રશ્ને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં રાજય સરકાર સામે આક્રોશ

રાજકોટ તા.૧૩ : કોંગ્રેસ દ્વારા ખેડુતોના મુદે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં જન  વેદના આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે.

અમરેલી

કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર કેન્દ્ર અને રાજય ની ભાજપઙ્ગ સરકારનીઙ્ગ આપખુદશાહી ને કારણે બેરોજગારી અર્થે તેમની ખુવારી શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળતા ખેડૂતો સાથે અન્યાયકારી વલણ, રાજયમાં અતિવૃષ્ટિથી થયેલ ખેડૂતોને પારાવાર નુકશાન,આવી અનેક લોકોની સમસ્યા ઓ સામે ભાજપ સરકારની નિષ્ફળતાઓ સામે વિરોધ પ્રદર્શિત કરવાઙ્ગ અમરેલી ખાતે ધરણાં તેમજ રેલીનું આયોજન કરવામાં આવેલ ,છે

   આ કાર્યક્રમમાં હાજર રહેવા અમરેલી જિલ્લા કોંગ્રેસ ના તમામ હોદેદારો શ્રી ઓ પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી ઓ, પૂર્વ સાંસદશ્રી ધારાસભ્યશ્રી ઓ પૂર્વ ધારાસભ્ય શ્રી ઓ જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી,તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો,જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી ઓ , તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી ઓ,નગર/ શહેર કોંગ્રેસ સમિતિ ના હોદેદારોશ્રીઓ નગરપાલિકા ના વિરોધપક્ષ નાં નેતા,કોર્પોરેટર શ્રી ઓ,જિલ્લા / શહેર/ તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ઓ,યુવા કોંગ્રેસ,NSUI , વિવિધ ડિપાર્ટમેન્ટ,સેલ મોરચા ના ચેરમેન શ્રી ઓ તથા હોદેદારો,મીડિયા સેલ,તેમજ કોંગ્રેસના સિનિયર આગેવાનો શ્રી તેમજ જિલ્લા ભરના કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તા મિત્રો ને સમયસરઙ્ગ હાજર રહયા છે. તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલી - અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રવકતા એડવોકેટ સંદિપ પંડયાએ જણાવ્યું છે.

(1:03 pm IST)