સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

મોરબીની ફેકટરીમાં વિજય ગણાવાની હત્યામાં પરિવારના સભ્યો હોવાની શંકા

મોરબી,તા.૧૩: મોરબીના લખધીરપુર રોડ પર ફેકટરીમાં રહીને મજુરી કરતા શ્રમિક યુવાનની બોથડ પદાર્થના દ્યા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી હોય જે બનાવ અંગે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે તો યુવાનની હત્યામાં પરિવારના જ કોઈ સભ્યની સંડોવણી હોય તે શંકાને પણ નકારી સકતી નથી

મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ પરની સીવેન સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા યુવાન વિજય ખીમજીભાઈ ગણાવા (આદિવાસી) (ઉ.વ.૨૧) બોથડ પદાર્થના દ્યા ઝીંકી હત્યા નીપજાવી હોય જે બનાવની જાણ થતા મોરબી તાલુકા પીએસઆઈ આર એ જાડેજા સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી હતી અને હત્યાના બનાવ અંગે મૃતકના ભાઈ મનોજભાઈ ગણાવાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આજે તા. ૧૨ ના સવારના સુમારે તેની બહેન શર્મિલા રૂમ પર ગઈ હતી અને લેબર કવાર્ટરના ધાબા પર તેનો ભાઈ વિજયભાઈ અને વજાભાભી ધાબા પર રોજ સાથે સુતા હતા અને જગાડવા જતા ખાટલામાં વજાભાભી સુતેલી ના હતી અને વિજયભાઈ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા ધાબા પર બહેન મંજુ, માસીની દીકરી હિરલ અને વજાભાભી ત્રણેય સુતા હોય અને જગાડીને વાત કરતા રાત્રીના રોટલા બનાવવા ગયાનું જણાવ્યું હતું અને શર્મિલાએ વિજયભાઈને લોહી લુહાણ હાલતમાં જોયા હતા જેથી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના ભાઈ મનોજભાઈ આદિવાસીએ હત્યાના બનાવ અંગે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે કોઈ અજાણ્યા માણસે કોઈ કારણોસર તેના ભાઈ વિજય આદિવાસીને બોથડ પદાર્થ કે હથિયાર વડે માર મારી ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવ્યું છે મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

(12:01 pm IST)