સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th November 2019

ધોરાજી ખાતે નવનિયુમત મામલતદાર કે.ટી.જોલાપરાએ ચાર્જ સંભાળ્યો

ધોરાજી તા.૧૩ : ધોરાજીૅં તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ૧૨૪ જેટલા મામલતદારોની બદલી થતા ધોરાજીના મામલતદાર હુબડા ની બદલી ઉત્ત્।ર ગુજરાત ખાતે થવા પામી હતી.

જેમના સ્થાને ધોરાજી મામલતદાર તરીકે નિયુકિત પામેલા કે. ટી. જોલાપરાઙ્ગ ધોરાજી ખાતેઙ્ગ હાજર થઈ મામલતદાર તરીકે નો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો.

નવનિયુકત મામલતદાર જોલાપરા અગાઉ બોટાદ અને જૂનાગઢ જિલ્લામાં રેવન્યુ વિભાગમાં વિવિધ શાખાઓમાં ફરજ બજાવી ચૂકયા છે.

 નવનિયુકત મામલતદાર ધોરાજીના પડતર પ્રશ્નો અને અરજદારોના પડતર રહેલા કામો સત્વરે પૂર્ણ કરે તેવી ધોરાજી તાલુકાની જનતા આશા સેવી રહી છે.જોેકે મામલતદાર જોલાપરા કામગીરી પરત્વે ઉત્સાહી અને વિવિધ શાખાઓનો કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી અરજદારોના કામો નિકાલ વહેલી તકે થાય તેવું જણાઈ રહ્યું છે.

(11:49 am IST)