News of Tuesday, 13th November 2018
કચ્છના માલધારીઓ હિજરત કરી 800 પશુધન સાથે બે મહિના ચાલીને રાજકોટ નજીક રતનપર પહોંચ્યા
કચ્છના રાપર તાલુકાના માલધારીઓ હિજરત કરીને 800 જેટલા પશુધન સાથે રાજકોટના રતનપર ગામે આવી પહોંચ્યા છે. કચ્છના રાપરથી હિજરત કરી ચાલતા ચાલતા બે મહિના બાદ માલધારીઓ રાજકોટ પહોંચ્યા હતા. પોતાના પશુઓના ભરણ પોષણ માટે માલધારીઓને હિજરત કરવી પડી રહી છે. ત્યારે માલધારીઓએ દાતાઓને મદદ કરવા અપીલ કરી છે
કચ્છમાંથી માલધારીઓની હિજરત થવાનું સતત ચાલુ જ છે. ઓછા વરસાદના કારણે પાણી અને ઘાસચારાની અછતના કારણે કચ્છમાંથી માલધારીઓની હિજરત કરી રહ્યાં છે.
(8:53 pm IST)