સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th November 2018

પોરબંદરના ૬ ઉદ્યોગોને પ્રદુષણ નાબુદી વિભાગની નોટીસો : ૧૦ દિ'માં પ્રદુષણ અટકાવવા તાકીદ

પોરબંદર, તા. ૧૩ : અહીં સીમેન્ટ સહિત ૬ ઉદ્યોગોને પ્રદુષણ નાબુદી વિભાગ દ્વારા નોટીસો ફટકારવામાં આવી છે.

ઉદ્યોગોને પ્રદુષણ ફેલાવતી ક્ષતિઓ ૧૦ દિવસમાં દૂર કરવા તથા આવી ક્ષતિઓ દૂર નહીં કરવામાં આવે તો આકરા પગલા લેવા નોટીસમાં જણાવ્યું છે. પ્રદુષણ ચેકીંગ માટે પાણીના નમૂના લેવામાં આવેલ છે જે ફેઇલ જતા નોટીસ ફટાકારીને પ્રદુષણ અટકાવવાની તાકીદ નોટીસમા કરવામાં આવી છે.

(1:10 pm IST)