સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th October 2021

જુનાગઢમાં મહેન્દ્રભાઇ મશરૂ સંચાલિત શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ નિર્મિત શ્રી બચુભાઇ રાજા- નગરશેઠની હવેલી- દેવ મંદિરમાં માતાજીની આરાધના

જુનાગઢ, તા.૧૩: માં આદ્યશકિતની આરાધનાનાં સાતમા, સાતમા નોરતે મહેન્દ્રભાઇ મશરૂ સંચાલિત શ્રી જલારામ મંદિર ટ્રસ્ટને નિર્મિત શ્રી બચુભાઇ રાજા-નગરશેઠની હવેલી દેવ મંદિર ખાતે માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી.

સર્વે જ્ઞાતીય ધર્મ પ્રેમી બહેનોએ સાંજે ૫ થી ૭ દરમ્યાન નિઃશુલ્ક 'બેઠા ગરબા' માં ખૂબ મોટી સંખ્યામાં એ લાભ લીધેલ હતો. આરતી શણગાર તેમ જ નવ દુર્ગા શણગાર હરિફાઇ પણ બહેનો દ્વારા કરવામાં આવેલ. બેઠા ગરબા પછી નાની નાની બાળાઓ તેમજ બહેનોએ રાસ રમીને સમગ્ર વાતાવરણ ધર્મમય બનાવેલ. રાસ રમતી નાની નાની દરેક બાળાઓને લાણી સ્વરૂપે ઇનામ તથા દરેકને નાસ્તો આપવામાં આવેલ હતો.

(10:20 am IST)