સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 13th October 2019

જોડિયા નજીક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા બાઇક સવાર દંપતિનું ઘટના સ્થળે મોત

દંપતી કુંનડ ગામેથી પરત ફરી જોડિયા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

 

જામનગરના જોડિયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતિનું ઘટના સ્થળે મોત થયું હતુ. અકસ્માત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.

 જાણવા મળ્યા મુજબ જોડિયાનું દંપતી કુંનડ ગામેથી પરત ફરી જોડિયા જતું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો..અકસ્માતની ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(11:45 pm IST)