જૂનાગઢ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ એક વર્ષથી ફરાર યુવરાજ પકડાયો
ભકિતનગર પોલીસે કેદીને બોલબાલા માર્ગ પરથી દબોચ્યો
રાજકોટ,તા. ૧૩ : જૂનાગઢ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ એક વર્ષથી ફરાર કેદીને રાજકોટ બોલાબાલા માર્ગ જલજીત હોલ પાસેથી ભકિતનગર પોલીસે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નાસતા ફરતા તથા વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર કેદી તથા પોલીસ જાપ્તમાંથી ફરાર કેદીને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી.ઝાલાના માર્ગદર્શનક હેઠળ પીએસઆઇ આર.જે. કામળીયા, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી, સલીમભાઇ, ભાવેશભાઇ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, વિશાલભાઇ, મૈસુરભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ. દિવ્યરાજસિંહ તથા વાલજીભાઇને મળેલી બાતમીના આધારે જૂનાગઢ જેલમાંથી દસ દિવસ માટે વચગાળાના જામીન પર છૂટ્યા બાદ એક વર્ષથી ફરાર યુવરાજ પ્રતાપભાઇ માંજરીયા (ઉવ. ૨૮) (રહે. હસનવાડીના છેડે અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં. ૭/૮ નો ખુણો)ને બોલબાલા માર્ગ જલજીત હોલ પાસેથી પકડી લીધો હતો. યુવરાજ વિસાવદર પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનામાં જૂનાગઢ જેલમાં હતા.