News of Thursday, 13th September 2018
થાનગઢમાં સારવારના અભાવે યુવાનનું મોત :ડોક્ટર હાજર નહિ હોવાથી મૃત્યુ થયાનો પરિવારજનોનો આરોપ:લાશ સ્વીકારવા ઇન્કાર:પોલીસ દોડી
સુરેન્દ્રનગર:થાનગઢ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં યુવાનને યોગ્ય સારવાર ન મળતા મોત નિપજ્યુ હોવાનો યુવકના પરિવારજનો આક્ષેપ કર્યો હતો ડોકટર હાજર ન હોવાથી સમયસર સારવાર નહિ મળતા યુવકનું મોત થયાનું જણાવી રહ્યાં છે યુવકને ઝાડા થતા સારવાર માટે થાનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લવાયો હતો પ્રાથમિક સારવાર ન થતાં થયુ મોત થયાનો આરોપ લગાવાયો છે પરિવારજનોના હોબાળા બાદ પોલીસ ધટનાસ્થળે પહોંચી છે બીજીતરફ જયા સુધી ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી લાશ ન સ્વિકારવા નો પરિવાર જનો ઈનકાર કર્યો છે અને :જવાબદાર લોકો સામે ફરિયાદ કરવા :-પરિવાર જનો માંગ કરી છે
(11:31 pm IST)