સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th September 2018

સોમનાથ મંદિરે ટુરીઝમ મંત્રાલય દ્વારા સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ

પ્રભાસ પાટણઃ  ભારત સરકારનાં ટુરીઝમ મંત્રાલય તરફથી તમામ યાત્રાધામોમાં સ્વચ્છતા જાગૃતિ અંગેનો કાર્યક્રમ શ્રી સોમનાથ મંદિર ખાતે યોજવામાં આવેલ જેમાં ટુરીઝમ મંત્રાલય દ્વારા સ્વચ્છતાનાં સિમ્બોલની ટોપીઓનું વિતરણ કરેલ સ્વચ્છતા જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ તથા જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેલ. બાળકો દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગેનું નાટક ભજવવામાં આવેલ અને હાજર રહેલા લોકોને સ્વચ્છતા અંગેનાં શપથ લેવડાવવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ) (૧૧.૬)

 

(11:55 am IST)