ધોરાજીના પ્રોફેસર સાગર માણાવદરીયાનું વડાળા પાસે ડૂબી જતા મોત
માળીયા હાટીના/ધોરાજી, તા. ૧રઃ ધોરાજીના અમૃત પેલેસમાં રહેતા સાગર વિનુભાઇ માણાવદરીયા પટેલ ઉ.વ.ર૮ ને માળીયાળા ગામે આવેલ બાલાજી એન્જીનીયરીંગ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે અને કોલેજ છુટયા બાદ ૬ શિક્ષકો ડબલ સવારીમાં માળીયા હાટીનાના વડાળા ગામ પાસે આવેલ પાણીના ધોધમાં ન્હાવા ગયા હતા અને ૬ પૈકી એક શિક્ષક એવા ઉડા પાણીમાં ગરકાવ થઇ જતા રાગરાડી થઇ ગયેલ અને બાદમાં સાગર માણાવદરીયાને મૃતદેહ મળેલ હતો અને પીએમ બાદ ધોરાજી ખાતે લઇ જવાયો હતો.
મૃતક મુળ સુપેડી ગામના હતા અને મરણજનાર સાગર ના પિતા વિનુભાઇ સામજીભાઇ માણાવદરીયા સુપેડી ગામે ગાઠીયાની દુકાન ચલાવે છે. મરણજનાર પરીવારમાં ૧નો એક પુત્ર હતો અને આ દુઃખદ ઘટનાની જાણ થતા પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગયેલ હતી. (૯.૪)