સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th September 2018

જેતપુરના સાડી ઉદ્યોગને રાહત :ક્લોઝર હુકમ કેન્સલ ત્રણ મહિના સુધી શરતી ઓર્ડરથી કારખાના ધમધમશે

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની રજૂઆત અને ડાઇંગ એસો,ની લેખિત ખાતરી બાદ નિર્ણંય

જેતપુર સાડી ઉદ્યોગ માટે ખુશખબર છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગને આપેલો ક્લોઝરનો હુકમ રદ કરવામાં આવ્યો છે.પ્રદૂષણ સામે પગલા ભરવા ઉદ્યોગને ત્રણ મહિનાનો સમય અપાયો છે. ત્રણ મહિના સુધી શરતી ઓર્ડરથી સાડીના કારખાના ફરી ધમધમતા થશે.પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ રજૂઆત કરી હતી.અને ડાઇંગ એસોસિયેશને ઓન લેખિત ખાતરી આપતા સમગ્ર મામલે રાહત મળી છે

(1:05 am IST)