ધોરાજી : પોસ્કો બળાત્કાર કેસમાં આરોપીની જમીન અરજી મંજુર
ધોરાજી તા ૧૨ : ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઇ.પી.સી. ૩૬૩,૩૬૬, ૩૭૬(ર) તથા પોસ્કો અધિનીયમની કલમ-૬ મુજબનાકેસમાં ધોરાજીના એડી.સેસન્શ જજ શ્રી દવે એ આરોપીની જામીન અરજી મંજુર કરી હતી.
ધોરાજી પોલીસમાં જામનગરના શબ્બીર અજીજ માણેકની સામે આઇ.પી.સી. ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોસ્કો અધિનીયમની કલમ-૬ મુજબના ગંભીર ગુન્હાની ફરીયાદ નોંધાયેલ અને ધોરાજીમાં રહેતા રજાક માજોઠીના એ પોતાની દિકરીને ફોસલાવી પટાવી અને જામનગરના રહેવાસી શબ્બીર અજીજભાઇ માણેેક ઉપાડી ગયેલ. તે અંગેની ફરીયાદ કરેલ હતી.
આરોપી તરફે ેના એડવોકેટ શ્રી ડી.જે. ઠેસીયા એ આરોપીના બચાવમાં અને જામીન આપવા જોઇએ તે અંગે દલીલો કરતા ના. સેસન્સ કોર્ટે તે દલીલો ધ્યાને રાખી આરોપીને જામીન મુકત કરતો ઓર્ડર એડી સેસન્સ જજ શ્રી દવે એ કરેલ છે. બચાવ પક્ષે આરોપીના એડવોકેટ શ્રી ડી.જે.ઠેસીયા રોકાયેલ. (૩.૪)