News of Wednesday, 12th September 2018
જસદણના નવાગામમાં પશુઓમાં રોગચાળો દેખાતા તંત્રમાં દોડધામ
જસદણ તા. ૧રઃ જસદણથી ૧૮ કિલોમીટર દુર આવેલ નવાગામમાં છેલ્લાં બે દિવસમાં પશુઓમાં રોગચાળો દેખાતા આ અંગે વાંછરડા, ભેંસ, ઘેટા-બકરા સહિત છ પશુઓના મોત નિપજયાં હોવા છતાં અન્ય પશુઓને પશુ તંત્ર દ્વારા કોઇ દવા કે રસીકરણ ન થતાં આજે સવારે કેટલાક પશુઓ ચાલી પણ ન શકવાની અવસ્થામાં ન હોવાનું નવાગામના રણછોડભાઇ પરમારે જણાવ્યું હતું.
ગામમાં ડોકટર તો આવ્યા પણ આ પશુ ડોકટરો એ કહ્યું કે અમો ગાંધીનગર આ દવા લેવા માટે જઇશું. પછી તમામ પશુઓને સારવાર મળશે. આ અંગે પશુલપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને પણ મેં ટેલિફોન દ્વારા જાણ કરી છે. (૭.ર૪)
(12:24 pm IST)