સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 12th September 2018

ભાવનગરમાં પ્રથમ પત્નિનાં મૃત્યુ બાદ બીજા લગ્ન કરનારની પત્નિ પિયર જતા યુવકનો આપઘાત

ભાવનગર તા. ૧રઃ ભાવનગરના રબ્બર ફેકટરી નજીક સુદર્શન એપાર્ટમેન્ટનાં ફલેટ નં. ૪૦૧ માં રહેતાં જયકુમાર જગદીશભાઇ ગાંધી ઉ.વ. ૩પનાં પ્રથમ પત્નીનું ત્રણ મહિના પહેલા મૃત્યુ થતાં જયકુમારે નાસીકની ગાયત્રી નામની મહિલા સાથે દોઢ માસ પહેલા બીજા લગ્ન કર્યા હતા.

દરમ્યાન ગાયત્રીને નાસીક જવું હતું. પરંતુ પતિ અને સાસુએ ના પાડવા છતાં તેણી નાસીક ચાલી જતાં લાગી આવતાં જયુ (ઉ.વ. ૩પ) એ તેનાં ઘેર ઝેરી દવા પી લઇ આપઘાત વહોરી લીધો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. (૭.રપ)

 

(12:24 pm IST)