સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

દામનગર શહેર પોલીસ પરિવાર આયોજિત ત્રિરંગા યાત્રા યોજાય

પોલીસ સ્ટેશન ખાતેથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય રાજ માર્ગો ઉપર ત્રિરંગા યાત્રા ફરી

દામનગર : પી એસ આઈ છોવાળાના નેતૃત્વમાં સમગ્ર પોલીસ પરિવાર હોમગાર્ડ જવાનો સાથે પોલીસ સ્ટેશન ખાતેથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય રાજ માર્ગો ઉપર ત્રિરંગા યાત્રા ફરી પોલીસ પરિવાર દામનગર દ્વારા સુંદર આયોજન કરાયું હતું પુરા અદબ સાથે ત્રિરંગા યાત્રા ધ્યાનાકર્ષક રીતે ભારત માતા કી જય ઘોષના નારા સાથે શહેરના સરદાર ચોક આવી પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર કરી મુખ્ય બજારમાંથી પોલીસ સ્ટેશન ખાતે વિસર્જન કરાય હતી.

(11:10 pm IST)