સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

કલ્યાણપુરના ગ્રામ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો

ખંભાળિયાના લુહારશાળ, ગુજરાત મિલ, નગર નાકા સહિતના વિસ્તારમા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ગ્રામ પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. કલ્યાણપુર, હરિપર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે. ખંભાળિયા શહેરમા વરસાદ થતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ. ગુરુવારે વરસાદના કારણે શહેરમાં નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ખંભાળિયાના લુહારશાળ, ગુજરાત મિલ, નગર નાકા સહિત ના વિસ્તાર મા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. તો લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના આગમનથી ખેડૂતોના પાકને ફાયદો થશે

(9:55 pm IST)