સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

વિસાવદરના દિવંગત બ્રહ્મવીરો વિજય ભટ્ટ - પ્રકાશ ત્રિવેદીને મરણોત્તર ઍવોર્ડ : બ્રહ્મ શ્રેષ્ઠીઓનુ સન્માન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૧૩: વિસાવદરમાં શ્રાવણી બળેવ પર્વ નિમિતે બ્રહમ સમાજની વાડીમાં જ્ઞાતી ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે વિસાવદર બ્રહમ સમાજના અગ્રણીઓનું સન્માન તથા સ્વ.વિજયભાઇ ભટૃ તથા સ્વ.પ્રકાશભાઇ ત્રીવેદીને યાદ કરીને મરણોતર સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં બ્રહમસમાજમાં જેઓનું કંઇકને કંઇક યોગદાન છે ઍવા બ્રહ્મ અગ્રણીઓ પ્રમોદભાઇ સુખલાલભાઇ ત્રીવેદી (ગુરુજી), શાંતિભાઇ રાઘવજીભાઇ પાણેરીરતિબાપા જોષી, નટુભાઇ મહેતા (કંદોઇ), હરુભાઇ દેવશંકરભાઇ જોષી, શાંતીલાલ ગંગારામ ભટૃ, હરસુખભાઇ જાદવજી ઠાકર (કવિરાજ)નું સન્માન પત્ર તથા શાલ અર્પણ કરી સમાજ શ્રૈષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિસાવદર બ્રહમ સમાજના હદયસ્થ અને ખ્યાતનામ ઉદઘોષક ઍવા દિવંગત સ્વ.વિજયભાઇ ભટૃ તથા બ્રહમશ્રેષ્ઠી-અનોખુ વ્યકિતત્વ ધરાવતા ઍવા દિવંગત સ્વ.પ્રકાશભાઇ ત્રીવેદીને સમાજ પ્રત્યેની તેઓની ઉદારભાવનાને બિરદાવી મરણોતર સન્માન કરવામાં આવ્યુ હતુ. સ્વ.વિજયભાઇ ભટૃ પરિવાર વતી શ્રી જીતુભાઇ ભટૃ દ્રારા દર વર્ષે સરસ્વતિ સન્માન સમારોહના આયોજનમાં વિધાર્થીઓને શિલ્ડ તથા પ્રોત્સાહક ઇનામો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે બ્રહમ સમાજના વરિષ્ઠ  અગ્રેસરો શ્રી ભાસ્કરભાઇ જોષી,  ભરતભાઇ વ્યાસ,  દલુભાઇ ભટૃ તથા સમાજના આગેવાનો તેમજ યુવા પાંખમાં પુલીનભાઇ ત્રીવેદી, જસ્મીનભાઇ જાની, વિશાલભાઇ પુરોહીત, હર્ષદભાઇ દવે, રાજુભાઇ પંડયા, ધર્મેશભાઇ વ્યાસ દ્રારા  કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સંચાલન ગર્લ્સ  હાઇસ્કુલના શિક્ષિકા શ્રીમતિ અલ્પાબેન વિશાલભાઇ પુરોહીતે કર્યું હતું.

(1:47 pm IST)