મોરબી : પતિઍ રક્ષાબંધન ઉજવવા સાથે આવવાની મનાઈ ફરમાવતા પરિણીતાઍ ઝેરી દવા પીધી
મોરબી તા. ૧૩ : આ અંગેની પ્રા વિગતો અનુસાર જસમત ગઢ ગામમાં રહેતી અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભર તાલુકાના સોહનકુંડ ગામના વતની ૧૯ વર્ષીય ગીતાબેન માવી નામની પરિણીતાઍ ગામની સીમમા આવેલ વલ્લભભાઇ હરીભાઇ પટેલની વાડીયે ઝેરી દવા ગટગટાવી હતી. જેથી પતિ સહિતના પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગેની જાણ તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પરિણીતાનો લગ્નગાળો ૭ માસનો છે. પરિણીતાઍ રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા જવું હોય પતિ લલિતભાઈને સાથે આવવા કહ્નાં હતું. પરંતુ પતિની તબિયત ખરાબ હોય સાથે જવાની ના પાડતા ગીતાબેનને લાગી આવ્યું હતું. અને તેણે ઘાસમાં છાટવાની જંતુનાશક દવા ગટગટાવી હતી. જેને પગલે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આ મુદ્દે તાલુકા પોલીસે સી.આર.પી.સી. કલમ- ૧૭૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.