સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

મોરબીમાં જિ.પં.બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા તિરંગા અને હનુમાન ચાલીસાનું વિતરણ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૩ :  મોરબીના સેવાભાવી અજયભાઈ લોરીયા દ્વારા શનિવારે અને રવિવારે ૨૫,૦૦૦ રાષ્‍ટ્રધ્‍વજ અને હનુમાન ચાલીસાનું વિનામૂલ્‍યે વિતરણ કરાશે.

આઝાદી કા અમળત મહોત્‍સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્‍યારે મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા શનિવારે બપોરે ૧૨ વાગ્‍યાથી  રવિવારે સાંજે ૭ વાગ્‍યા સુધી મોરબીના સુપર માર્કેટ પાસે ૨૫,૦૦૦ જેટલા તિરંગાનું વિનામૂલ્‍યે વિતરણ કરાશે. જેનો લાભ લેવા રાષ્‍ટ્રપ્રેમમી જનતાને અપીલ કરવામાં આવી છે.

(1:33 pm IST)