News of Saturday, 13th August 2022
હર ઘર તિરંગા અંગે જાહેર જનતાને અપીલ કરતા જયસુખભાઈ પટેલ
મોરબી તા. ૧૩ : રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા તમામ નાગરિકોને અપીલ કરતાં ઑરેવા ગળપના ઓનર જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયા ને ૭૫ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીન કા અમળત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે હર ઘર પર તિરંગા લહેરાવવા અપીલ કરી છે તેણે હવે હર ઘર તિરંગા મહા અભિયાનનું રૂપ ધારણ કર્યું છે. લોકો સ્વયં રીતે આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન મોરબીની જાહેર જનતાને અપીલ છે કે, દરેક ઘર તથા તમામ જગ્યાઓએ સાથે મળીને તિરંગો લહેરાવીએ અને ચાલો આઝાદી કા અમળત મહોત્સવને સાર્થક બનાવીએ.
(1:32 pm IST)