સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th August 2022

પોરબંદરમાં ગુજરાત ફર્સ્‍ટ ન્‍યુઝ ચેનલ દ્વારા કાલે તિરંગાયાત્રા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૩ : ગુજરાત ફર્સ્‍ટ ન્‍યુઝ ચેનલ દ્વારા આવતીકાલે તા. ૧૪ ઓગષ્‍ટના સાંજે ૪ વાગ્‍યા તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે.
આઝાદીના અમૃત મહોત્‍સવ તથા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે સાંજે ગુજરાત ફર્સ્‍ટ ન્‍યુઝ ચેનલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે. આ તિરંગા યાત્રા નાના ફુવારાથી સુદામા ચોક સુધી યોજાશે. નાગરિકોને તિરંગાયાત્રામાં જોડાવવા એક યાદીમાં અપીલ કરવામાં આવી છે.

 

(1:26 pm IST)